15મી ઓગસ્ટ સુધીમાં સાત પ્રમુખ યોજનાઓ 15 હજાર અતિરિક્ત ગામડા સુધી ઉપલબ્ધ : પીએમ મોદી
Live TV
-
નીતિ આયોગની ચોથી સંચાલન સમિતિની બેઠકના સમાપન સત્રને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ,વિભિન્ન મુખ્યમંત્રીઓ દ્વારા જળ સંરક્ષણ, કૃષિ, મનરેગા જેવા મુદ્દા પર આપેલી સલાહની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2018 સુધી 115 આકાંક્ષાપૂર્ણ જિલ્લાના 15 હજાર અતિરિક્ત ગામડા સુધી સાત પ્રમુખ યોજનાઓ ઉપલબ્ધ કરાવવા કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.
નવી દિલ્હીમાં આયોજીત નીતિ આયોગની બેઠકમાં કેન્દ્ર અને રાજ્યોને વિકાસમાં બરાબરના ભાગીદાર માનવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત આ બેઠકની અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી. જાતિ આયોગની બેઠકમાં કેન્દ્રીય મંત્રીમંડળના વરિષ્ઠ સહયોગીઓ સાથે 23 રાજ્યોના મુખ્યમંત્રી અને એક ઉપેરાજ્યપાલે ભાગ લીધો હતો. પૂર્વોત્તરના રાજ્યોમાં આવેલા પૂર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓને બધી મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું
