23 જાન્યુઆરીએ કોલકતામાં આયોજીત 'પરાક્રમ દિવસ'ના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ઉપસ્થિત રહેશે
Live TV
-
આ પ્રદર્શનમાં નેતાજી સાથે જોડાયેલ 125 કહાની બતાવવામાં આવશે
નેતાજી સુભાષચંદ્ર બોઝની અદમ્ય ભાવના અને રાષ્ટ્ર માટે તેમની નિસ્વાર્થ સેવાને યાદ રાખવા ભારત સરકાર દર વર્ષે 23 જાન્યુઆરીના તેમની જયંતીને પરાક્રમ દિવસ રૂપે મનાવશે. તે માટે ગેઝેટ નોટીફિકેશન જાહેર કર્યું છે. મુખ્ય સમારોહ કોલકાતામાં આયોજીત થશે. તેમાં પ્રધાનમંત્રી ઉપસ્થિત રહેશે.
વિકટોરીયા મેમોરીયલ હોલમાં પ્રદર્શનનું ઉદ્ધાટન કરશે પ્રધાનમંત્રી
તેઓ પ્રસિધ્ધ વિકટોરીયા મેમોરીયલ હોલમાં પ્રદર્શનનું ઉદ્ધાટન કરશે. આ પ્રદર્શનમાં નેતાજી સાથે જોડાયેલ 125 કહાની બતાવવામાં આવશે. આ પ્રદર્શન બે વર્ષ સુધી ચાલશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સુભાષચંદ્ર બોઝના પત્રોના સંકલીત પુસ્તકનું અનાવરણ કરશે. પ્રધાનમંત્રી આઝાદ હિન્દ ફોઝના જીવીત સૈનિકોનું સન્માન કરશે. આ ઉપરાંત સરકારે હાવડા-કાલકા મેલનું નામ બદલીને નેતાજી એક્સપ્રેસ કરવાનો નિર્ણય લીધો છે.
