23 થી 27 મે સુધી 'યાસ' વાવાઝોડું બંગાળની ખાડીમાં ટકરાશે
Live TV
-
23 થી 27મી મે સુધી "યાસ" નામના વાવાઝોડાંથી સતર્ક રહેવા માટે હવામાન વિભાગે આગાહી કરી છે. હજુ સુધી ''તાઉ-તે' વાવાઝાડાના અસરમાંથી લોકો બહાર આવ્યા નથી. ત્યાં "યાસ" નામના વાવાઝોડાંએ દસ્તક આપી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 23 થી 27મી મે સુધી "યાસ" વાવાઝોડું બંગાળની ખાડીમાં ટકરાશે. ઓમાને આ ચક્રવાતને "યાસ" નામ આપ્યું છે. આ ચક્રવાતનો અસર સૌથી વધુ અંદામાન-નિકોબાર દ્વીપ સમૂહ, ઓડિશા અને બંગાળની ખાડી પર જોવા મળશે. વાવાઝોડાંની અસરને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઇ છે.
