PM મોદીએ 'જ્યાં બિમાર, ત્યાં જ સારવાર' મંત્ર સાથે કાશીના તબીબોએ કરેલ કામગીરી વખાણી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘણી હદ સુધી કોવિડ -19 રોગચાળાને નિયંત્રિત કરનાર તબીબી ટીમના પ્રયત્નોની પ્રશંસા કરી છે. તેમણે નિરસતા સામે ચેતવણી આપી હતી અને ગ્રામીણ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરીને લાંબી લડત લડવા માટે જોડાવાની વિનંતી કરી હતી.
વડા પ્રધાન ગઈકાલે વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉત્તર પ્રદેશના વારાણસીના ડૉકટરો અને અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. કોવિડ મેનેજમેંટ માટે તેમણે એક નવો મંત્ર પૂરો પાડ્યો - જહાં બિમાર, વહીં ઉપચાર '. પ્રધાનમંત્રીએ એ બાબત પર ભાર મૂક્યો હતો કે દર્દીના ઘેર સારવાર લેવાથી આરોગ્ય સિસ્ટમ પરનો ભાર ઓછો થશે. તેમણે માઇક્રો કન્ટેન્ટ ઝોનની પહેલની અને દવાઓની હોમ ડિલિવરીની પ્રશંસા કરી હતી. રોગચાળા સામેની લડાઇમાં બ્લેક ફંગસ દ્વારા ઉભા થયેલા નવા પડકારનો સામનો કરવાની ચેતવણી આપી હતી.
તેમણે કહ્યું કે 'કાશી કવાચ' નામની ટેલિ-મેડિસિન સુવિધા પૂરી પાડવા માટે ડોકટરો, પ્રયોગશાળાઓ અને ઇ-માર્કેટિંગ કંપનીઓને સાથે લાવવી એ પણ ખૂબ નવીન પહેલ છે. તેમણે રસી લેવા પર વધુ ભાર મૂક્યો.
