28 મે ના સંસદના નવનિર્મિત ભવનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે રાષ્ટ્રને સમર્પિત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવનિર્મિત સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કરશે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગુરુવારે પીએમ મોદીને મળ્યા અને તેમને નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા આમંત્રણ આપ્યું. નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય હવે પૂર્ણ થયું છે અને નવી ઇમારત આત્મનિર્ભર ભારતની ભાવનાનું પ્રતિક છે. વર્તમાન સંસદ ભવન 1927માં પૂર્ણ થયું હતું, જે હવે લગભગ સો વર્ષ જૂનું થવા જઈ રહ્યું છે. હાલની જરૂરિયાત મુજબ આ બિલ્ડીંગમાં જગ્યાનો અભાવ અનુભવાઈ રહ્યો હતો. બંને ગૃહમાં સાંસદો માટે આરામદાયક બેઠક વ્યવસ્થાનો પણ અભાવ હતો, જેના કારણે સભ્યોની કાર્યક્ષમતા પર અસર પડી રહી હતી. આને ધ્યાનમાં રાખીને, લોકસભા અને રાજ્યસભા બંનેએ સંસદ માટે નવી ઇમારત બાંધવા સરકારને વિનંતી કરતા ઠરાવો પસાર કર્યા. 10 ડિસેમ્બર, 2020ના રોજ પ્રધાનમંત્રીએ સંસદની નવી ઇમારતનો શિલાન્યાસ કર્યો.
