29 ઓક્ટોબરના રોજ અયોધ્યા જમીન વિવાદ પર સુનાવણી હાથ ધરાશે
Live TV
-
1994ના ફારુકી કેસમાં સુપ્રીમ કોર્ટના ત્રણ જજની ખંડ પીઠ માંથી બે ન્યાયઘીશોએ આ મુદ્દે નિર્ણય આપતા જણાવ્યું કે 1994ના ફારૂકી કેસમાં નમાઝ અદા કરવા માટે કોઈ ખાસ સ્થાન કે મસ્જિદની જરૂર નથી.
અયોધ્યા જમીન મામલે જોડાયેલા 1994ના ફારુકી કેસમાં સુપ્રીમ કોર્ટના ત્રણ જજની ખંડ પીઠ માંથી બે ન્યાયઘીશોએ આ મુદ્દે નિર્ણય આપતા જણાવ્યું કે 1994ના ફારૂકી કેસમાં નમાઝ અદા કરવા માટે કોઈ ખાસ સ્થાન કે મસ્જિદની જરૂર નથી. સાથે મસ્જિદમાં નમાજ પઢવી એ ઈસ્લામનો હિસ્સો નથી. ચુકાદો આપતા ત્રણ ન્યાયાઘીશની ખંડપીઠના બે ન્યાયાઘીશોએ જણાવ્યું કે 1994માં આ અંગેનો નિર્ણય પાંચ ન્યાયાધીશોની ખંડપીઠ દ્વારા લેવામાં આવ્યો હતો. તો આ મુદ્દે ત્રણ ન્યાયાઘીશોની ખંડ પીઠ નિર્ણય લે. તો પણ સંવિઘાન પ્રમાણે પાંચ અને સાત ન્યાયધીશોની ખંડપીઠ સમક્ષ મુકવો પડે. આમ કરવાથી મૂળ કેસમાં વિલંબ થાય એ વાતને ધ્યાનમાં રાખી ત્રણ માંથી બે ન્યાયાધીશોએ જણાવ્યું, કે 1994ના ફારૂકી કેસમાં ફેર વિચારણા જરૂરી નથી. ઉલ્લેખનીય છે કે આગામી 29 ઓક્ટોબરના રોજ મુળ કેસ- અયોધ્યા જમીન વિવાદ પર સુનાવણી હાથ ધરાશે
