3 જ્યોર્તિલિંગને જોડતી 'મહાકાલ એક્સપ્રેસ' ને PMએ આપી લીલી ઝંડી
Live TV
-
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે પહોચ્યા છે. આ દરમ્યાન તેમણે ઘણા કાર્યક્રમોમાં ભાગ લેવાની સાથે સાથે ઘણી યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ ત્રણ જ્યોર્તિલિંગ કાશી વિશ્વનાથ (વારાણસી) ને ઉજ્જૈનના ઓમકારેશ્વર, મહાકાલેશ્વરને જોડતી મહાકાલ એક્સપ્રેસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેન 20 તારીખથી જનતા માટે શરૂ કરાશે. નરેન્દ્ર મોદીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયની 63 ફૂટ ઉંચી મૂર્તિનું અનાવરણ પણ કર્યું હતું.
