3 દાયકા વાયુસેનામાં સેવા આપનાર મીગ-27એ અંતિમ ઉડાન ભરી
Live TV
-
જોધપુર એરબેઝથી આખરી ઉડાન ભરી.. અચૂક નિશાન માટે મીગ- 27 હંમેશા યાદ રાખવામાં આવશે
1999ના કારગીલ યુધ્ધમાં મહત્વની ભુમિકા ભજવનાર અને ભારતીય વાયુસેનામાં ત્રણ દાયકાથી વધુ સમય સુધી સેવામાં રહેનાર યુધ્ધ વિમાન મીગ 27 એ ગઈકાલે છેલ્લીવાર ઉડાન ભરી હતી. સ્વીંગવિંગ યુધ્ધ વિમાન વાયુસેનામાં ઘણા દાયકા સુધી ગ્રાઉન્ડ એટેક ફ્લીટમાં , મહત્વની ભુમિકામાં રહયાં છે. ભારતીય વાયુસેનાએ - 7 વિમાનના પોતાના સ્કોવર્ડનને ગઈકાલે જોધપુર એરબેઝથી વિદાય આપી હતી. અચૂક નિશાન માટે મીગ - 27ને હંમેશા યાદ રાખવામાં આવશે. વાયુસેના માટે ગઈકાલનો દિવસ હંમેશા યાદગાર રહેશે. મિગ-23, બીએન,અને મિગ-23એમ એફ ,વાયુસેનાથી આગાઉ નિવૃત્ત થઇ ચુકયાં છે. આ બેડાએ કારગીલ યુદ્ધ દરમિયાન ગૌરવ હાંસલ કર્યું હતું જયારે તેણે દુશ્મનના ઠેકાણે રોકેટ અને બોમ્બ થી હુમલો કર્યો હતો. અદ્દભૂત મારક ક્ષમતા ધરાવતા મિગ -27થી કારગિલ યુધ્ધનાં પાયલોટોએ 'બહાદુર' નામ આપ્યું હતું.
