CAA વિશે વિપક્ષ અફવા ફેલાવે છે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
Live TV
-
કોંગ્રેસે આસામમાં ત્રણ ડિટેન્શન કેન્દ્રો ખોલ્યા હતા: ભાજપ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, વિપક્ષ પર નાગરિકતા સંશોધન કાયદા વિશે લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. પુર્વીય દિલ્હી હબના વિકાસ માટે કડકડડૂમા ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ઊપસ્થિત ગૃહમંત્રી એ જણાવ્યુ હતુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં નવી પ્રણાલી શરુ કરી છે. તેમણે કહ્યુ કે પ્રધાનમંત્રીએ 13 કાયદાકીય પ્રક્રિયાને નડતા પ્રશ્ર્નો દુર કર્યા છે અને દિલ્હીમાં ગેરકાયદેસર કોલોનીઓમાં રહેતા 40 લાખ લોકોને માલિકી હક અપાવ્યો છે
તો ભારતીય જનતા પાર્ટીએ એન.આર.સી. મુદ્દે કોગ્રેસ પર પ્રહાર કર્યા હતા. નવી દિલ્હીમાં પ્રત્રકાર પરિષદ સંબોધતાં ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે કોંગ્રેસે આસામમાં ત્રણ ડિટેન્શન કેન્દ્રો ખોલ્યા હતા. તેમણે કહ્યું કે વર્ષ 2012માં યુપીએ સરકારે તે સમયની તરૂણ ગોગોઇ સરકારને આ કેન્દ્ર શરૂ કરવા માટે જણાવ્યું હતું
