50 કરોડ લોકોની જિદંગી બદલી નાખશે આ વિધેયક
Live TV
-
લઘુત્તમ પગાર અને સમય પર પગાર ચૂકવણીને કરશે નિશ્ચિત
આ કોડ તમામ કર્મચારીઓ માટે લઘુત્તમ પગાર અને સમય પર ચૂકવણીને નિશ્ચિત કરે છે, પછી તે કોઈ પણ ક્ષેત્રથી હોય કે પછી તેની પગારમર્યાદા કેટલી પણ કેમ નથી હોતી..
દેશની લગભગ 40 ટકા વસતી માટે એક મહત્વનું બિલ મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું..કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી સંતોષકુમાર ગંગવારે 50 કરોડ કામદારોની જિંદગીમાં ગુણાત્મક ફેરફાર લાવવાવાળું બિલ લોકસભામાં રજૂ કર્યું છે..વેતન વિધેયક, 2019 પર કોડ નામના આ બિલ દ્વારા પગાર અને બોનસ અને તેનાથી જોડાયેલા મામલાઓ સંબંધિત કાયદાઓમાં સંશોધન થઈ શકશે. આ કોડમાં લઘુત્તમ પગાર અધિનિયમ 1948, પગાર ચૂકવણી અધિનિયમ 1936, બોનસ ચૂકવણી અધિનિયમ 1965 અને સમાન પારિશ્રમિક અધિનિયમ 1976ના પ્રાસંગિક જોગવાઈઓને સામેલ કરવામાં આવી છે. પગાર પર કોડ લાગુ થયા બાદ આ તમામ એટલે કે ચારેય અધિનિયમ ખત્મ થઈ જશે.
