AIIMSમાં દાખલ વાજપેયીની તબિયત સુધારા પર, PMમોદીએ લીધી મુલાકાત
Live TV
-
દવાઓની યોગ્ય અસર થતા પૂર્વ પ્રધાનમંત્રીની તબિયત સુધરી રહી છે.
એઇમ્સમાં દાખલ કરવામાં આવેલા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની શારીરિક તંદુરસ્તી હાલ સુધારા પર છે. તેમની સારવાર માટે તબીબી ટીમને ખડે પગે હાજર રખાઇ છે.
દવાઓની યોગ્ય અસર થતા પૂર્વ પ્રધાનમંત્રીની તબિયત સુધરી રહી છે. વાજપેયીને સોમવારે બપોરે એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. સંઘ પ્રમુખ મોહન ભાગવત તથા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંઘે એઇમ્સમાં વાજપેયીની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી , તથા અનેક કેન્દ્રીય મંત્રીઓએ એઇમ્સમાં પહોંચી વાજપેયીની મુલાકાત લીધી હતી.
