CAA મુદ્દે અફવાઓથી દૂર રહેવા પીએમ નરેન્દ્ર મોદીની સલાહ
Live TV
-
નાગરિકતા અને સંશોધન કાયદાના વિરોધમાં હિંસક પ્રર્શન કરનારાઓની આકરી ટીકા.કહ્યું હિંસક પ્રદર્શનમાં સામેલ લોકોએ સ્વયંમને જ કરવો જોઈએ પ્રશ્ન કે શું તેઓ સાચા રસ્તે છે?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકતા સંશોધન અધિનિયમના વિરોધમાં હિંસા અને આગજની કરનારને સખત ફટકાર લગાવતા કહ્યું હતું કે સમાજમાં હિંસાનું કોઈ સ્થાન નથી. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જયંતિ પ્રસંગે લખનઉમાં એક સમારોહમાં તેમણે કહ્યું હતું કે નાગરિકતા સંશોધન કાનૂન 2019ના વિરોધમાં પ્રદર્શનો દરમિયાન જે લોકોએ સાર્વજનિક સંપત્તિઓને નુકસાન પહોંચાડ્યું છે તેમણે એ સમજવું જોઈએ કે અધિકાર અને કર્તવ્ય સાથે-સાથે ચાલે છે. લખનઉમાં પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેઈની 25 ફુટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. અને અટલજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. અને ત્યાર બાદ અટલ વિશ્વ વિદ્યાલયનો શિલાન્યાસ પણ કર્યો હતો.
