G-20 દેશોના સંસ્કૃતિ કાર્ય જૂથની બેઠકનો ઉદ્દેશ્ય સાંસ્કૃતિક સંપત્તિનો જીવંત વારસા તરીકે ઉપયોગ કરવો
Live TV
-
વારાણસીમાં G-20 દેશોના સંસ્કૃતિ કાર્ય જૂથની ચોથી બેઠકનો પ્રારંભ થયો. આ બેઠકનો ઉદ્દેશ નીતિ નિર્માણના કેન્દ્રમાં સંસ્કૃતિને સ્થાન આપી કાર્યક્ષમ પરિણામો હાંસલ કરવાનો છે. આજની બેઠકમાં સંસ્કૃતિ રાજ્યમંત્રી મિનાક્ષી લેખીએ ભાગ લીધો. સંસ્કૃતિ મંત્રાલયના સંયુક્ત નિયામક લીલી પાંડેએ જણાવ્યું હતું કે, આ બેઠકમાં સંરક્ષણ અને પુનઃ સ્થાપન પર પ્રગતિને વેગ આપવા માટે સામૂહિક પગલાં લેવા ભવિષ્ય માટે સાંસ્કૃતિક સંપત્તિનો જીવંત વારસા તરીકે ઉપયોગ કરવો. સાંસ્કૃતિક અને રચનાત્મક ઉદ્યોગો અને રચનાત્મક અર્થવ્યવસ્થાને મજબૂત કરવી અને આ ક્ષેત્રે ડિજીટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવો સહિતના પ્રાથમિક ક્ષેત્રો પર ચર્ચા કરવામાં આવશે.આ બેઠકમાં જી-20 ના સભ્ય દેશો, આમંત્રિત દેશો અને વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના લગભગ 170 જેટલા પ્રતિનિધિઓ ભાગ લેશે. આ પ્રતિનિધિઓ સારનાથની મુલાકાત પણ લેશે.
