J&Kના અલગતાવાદી સંગઠન જમાત-એ-ઈસ્લામને બેન કરવાનો સરકારનો આદેશ
Live TV
-
ગુરુવારે મોદી સરકારે એક મોટો નિર્ણય લેતા અલગતાવાદી સંગઠન જમાત એ ઇસ્લામને બાન કરવાનો કર્યો આદેશ. રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓમાં સામિલ હોવાને કારણે લગાવાયો પ્રતિબંધ. અગાઉ પણ જમાત એ ઈસ્લામના અનેક કાર્યકરોની કરાઈ છે ધરપકડ
સરકારે જમાત-એ-ઈસ્લામ જમ્મુ-કાશ્મીર સંગઠન પર તેની વિધ્વંશકારી અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ બદલ ગુરૂવારે પ્રતિબંધ લાદી દીધો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી સુરક્ષા સંબંધિત ઉચ્ચ કક્ષાની બેઠક પછી ગૃહ મંત્રાલયે જમાત-એ-ઇસ્લામ પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો હતો.
રાષ્ટ્ર વિરોધી સંગઠનો સાથે જમાતે ઈસ્લામ સંપર્કમાં હોવાના આક્ષેપ હોવાથી જમાત-એ-ઇસ્લામ પર આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પુલવામામાં થયેલા હુમલા પછી સુરક્ષાદળોએ ભાગલાવાદી પ્રવૃત્તિ સામે લાલ આંખ કરી છે.
