JK: પુલવામાં ચાર આતંકીવાદી ઠાર
Live TV
-
જમ્મુ કાશ્મીરના પુલવામાના દ્રુસુ લાસીપોરા વિસ્તારમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી
જમ્મુ કાશ્મીરના પુલવામાના દ્રુસુ લાસીપોરા વિસ્તારમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. આજે સવારે તેમણે ચાર ત્રાસવાદીઓને મારી નાખ્યા હતા. તેઓ લશ્કર-એ-તોઈબાના ત્રાસવાદી હતા તેમ રાજ્યના પોલીસ મહા નિદેશક દિલબાગસિંહે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ લશ્કર-એ-તોઇબાના અડ્ડાને પણ નષ્ટ કરી નાખ્યો હતો. અથડામણના સ્થળેથી ભારે માત્રામાં હથિયાર અને વિસ્ફોટકો પણ ઝડપી લેવામાં આવ્યા છે.
