MP : મધ્યપ્રદેશના રીવામાં ટ્રક અને બસ વચ્ચે અકસ્માત, 9 લોકોના મોત
Live TV
-
ઘાયલોને રીવા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા
મધ્યપ્રદેશના રીવામાં બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં 9 લોકોના મોતના અહેવાલ છે..જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા છે.તમામ ઘાયલોને રીવા સંજય ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે..જે પૈકી કેટલાકની હાલત ગંભીર બતાવાઈ રહી છે..ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય શરુ કરી દેવાયુ છે..આ બસ ખાનગી ટ્રાવેલ્સની બસ હતી..અકસ્માતની ઘટના અંગે જાણકારી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્થળ પર હાજર થઈ ગયો હતો..મૃતકોમાં પાંચ પુરુષ, ત્રણ મહિલા અને એક બાળકીનો સમાવેશ થાય છે..
