NIAની કાર્યક્ષમતા પર, સવાલ ઉઠાવવા યોગ્ય નથી: ગૃહમંત્રી અમિત શાહ
Live TV
-
રાજ્ય સભામાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી બિલ સર્વાનુમતે ધ્વનિ મત સાથે પાસ કરવામાં આવ્યુ છે. આ પહેલા આ બિલ લોકસભામાં પણ પાસ થઈ ચુક્યુ છે. તો રાજ્યસભામાં NIA બિલ પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યુ હતુ,કે ,NIAની કાર્યક્ષમતા પર, સવાલ ઉઠાવવા યોગ્ય નથી. અમિત શાહે ,જાણકારી આપી હતી, કે ,2014 થી 2019 સુધીમાં NIA પાસે કુલ 195 રજિસ્ટર્ડ કેસ જેમાથી 129 કેસ માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી.
રાજ્ય સભામાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી બિલ સર્વાનુમતે ધ્વનિ મત સાથે પાસ કરવામાં આવ્યુ છે. આ પહેલા આ બિલ લોકસભામાં પણ પાસ થઈ ચુક્યુ છે. તો રાજ્યસભામાં NIA બિલ પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યુ હતુ,કે ,NIAની કાર્યક્ષમતા પર, સવાલ ઉઠાવવા યોગ્ય નથી. અમિત શાહે ,જાણકારી આપી હતી, કે ,2014 થી 2019 સુધીમાં NIA પાસે કુલ 195 રજિસ્ટર્ડ કેસ જેમાથી 129 કેસ માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી. તો 44 કેસમાં ચુકાદો પણ આવી ગયો છે અને તેમાથી 41 લોકોને સજા પણ થઈ ચુકી છે. અમિત શાહે તેમના સંબોધનમાં કહ્યુ ,કે NIA પુરી રીતે સક્ષમ છે અને વિદેશોમાં પણ ભારતીયો સામે કોઈ પ્રકારની આતંકી ઘટના ઘટે છે તો NIA તેની પણ તપાસ કરશે. તો સાથોસાથ તેમણે NIA ની શક્તિઓના દુરુપયોગ અંગે ઉઠી રહેલી શંકા અંગે સદનને આશ્વસ્ત કરતા કહ્યુ, કે, NI, ક્યારેય તેની શક્તિઓનો દુરુપયોગ નહીં કર ,કારણ કે કેન્દ્ર સરકાર માં ,ક્યારેય ,કોઈ ખોટી રીતે, કેસ કરવા માં ,આવતા નથી.
