NIA એ અલકાયદાના 9 આતંકવાદીઓની કરી ધરપકડ, 3 કેરળના અને 6 પશ્ચિમ બંગાળના રહેવાસી
Live TV
-
NIA એટલે કે રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા મુર્શિદાબાદ અને એર્નાકુલમમાં દરોડા પાડવામાં આવ્યાં હતાં. જે દરમિયાન NIA એ અલકાયદાના 9 આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ સાથે જ NIA પશ્ચિમ બંગાળ અને કેરળમાં પાકિસ્તાન દ્વારા પ્રેરિત અલ-કાયદા મોડ્યૂલને ઉઘાડુ પાડ્યું છે. ઝડપાયેલા આતંકવાદીઓ પાસેથી એનઆઈએ ને હથિયાર, દારૂ ગોળો અને મોટી સંખ્યામાં અલકાયદા સાથે જોડાયેલું સાહિત્ય મળી આવ્યું છે. જેમાંથી કેટલાંક આતંકવાદીઓ હથિયારો સાથે દિલ્હી જવાની યોજના બનાવી રહ્યાં હતાં. ધરપકડ કરાયેલા આતંકવાદીઓમાં 3 કેરળના અને 6 પશ્ચિમબંગાળના રહેવાશી છે. અલ કાયદાના ઈશારે આ આતંકવાદીઓ દેશની અંદર ઘાતક પ્રવૃતિ અને નિર્દોષ લોકોની હત્યાનું આયોજન કરે છે.
