PMએ કતરના અમીર શેખ તામિમ બિન હમદ બિન ખલીફા સાથે ફોન પર વાત કરી
Live TV
-
ભારત કતર સાથેના સંબંધને વધુ ગાઢ કરવા માંગે છે-PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કતરના અમીર શેખ તામિમ બિન હમદ બિન ખલીફા સાથે ફોન પર વાતચીત કરી. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે, આતંકવાદ દેશની સુરક્ષા અને શાંતિ સામે ગંભીર સમસ્યા છે. તેમણે આતંકવાદના દરેક સ્વરૂપને ખતમ કરવાનો અને તેનું સમર્થન કરતાં પરિબળ સામે વૈશ્વિક સ્તરે પગલા લેવા પર ભાર મૂક્યો હતો. વાતચીત દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું કે, ભારત કતર સાથેના સંબંધને વધુ ગાઢ કરવા માંગે છે. બંને નેતાઓએ વર્તમાન સ્થિતિ પર ચર્ચાં કરી હતી.
