PMની મહાસમુંડ-છિંદવાડામાં રેલી, કહ્યું, કોંગ્રેસને ખોટું બોલવામાં મહારત હાંસિલ
Live TV
-
છત્તીસગઢના મહાસમ્મુડ ખાતે ચૂંટણી સભાને સંબોધતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, છત્તીસગઢમાં બે ટર્મથી ભાજપની સરકાર છે પરંતુ એનડીએના કેન્દ્રના રાજમાં જ રમણસિંહ સરકારને સારી રીતે કામ કરવાની તક મળી છે.
અગાઉ દિલ્હીની કોંગ્રેસ સરકાર રીમોટ કંટ્રોલથી છત્તીસગઢમાં રાજ કરતી હતી ત્યારે 10 વર્ષનો સમય નકારાત્મક શક્તિ સાથે સંઘર્ષમાં ગયો છે. રમણસિંહ સરકારે છત્તીસગઢની બીમાર રાજ્યની છાપમાંથી બહાર કાઢી વિકાસના માર્ગ ઉપર લાવ્યા છે. સંગઠનના કાર્યકર્તા તરીકે આ રાજ્યમાં કરેલા કામથી અને અહીંની જરૂરિયાતનો અનુભવ મળ્યો છે. જેનો સમાવેસ સરકાર યોજનાઓમાં કરે છે.
