PM આજે વિશ્વ ભારતી યુનિવર્સિટી, શાંતિનિકેતનની શતાબ્દી ઉજવણીને સંબોધન કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિશ્વભારતી વિશ્વ વિદ્યાલય શાંતિ નિકેતનના શતાબ્દી સમારોહને કરશે વર્ચ્યુલ સંબોધન. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ અને કેન્દ્રિય શિક્ષણમંત્રી રહેશે ઉપસ્થિત.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે દેશની સૌથી જૂની કેન્દ્રિય વિશ્વ વિદ્યાલય, વિશ્વભારતી વિશ્વ વિદ્યાલય શાંતિ નિકેતનના શતાબ્દી સમારોહને, વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કરશે. આજના આ કાર્યક્રમ દરમિયાન પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ અને કેન્દ્રિય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ પણ ઉપસ્થિત રહેશે. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા વર્ષ 1921 માં સ્થાપિત કરવામાં આવેલી આ વિશ્વભારતી વિશ્વ વિદ્યાલય, દેશની સૌથી જૂની કેન્દ્રિય વિશ્વ વિદ્યાલય છે. મે-1951 માં સંસદના અધિનિયમ દ્વારા આ સંસ્થાને કેન્દ્રિય વિશ્વ વિદ્યાલય અને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકે જાહેર કરવામાં આવી હતી. હાલમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વિશ્વ વિદ્યાલયના કુલાધિપતિ છે.
