PM નરેન્દ્ર મોદીએ અલીગઢમાં આવેલ વિશ્વ વિદ્યાલય શતાબ્દી સમારોહનુ કર્યું ઉદ્ઘાટન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અલીગઢ ખાતે આવેલ વિશ્વ વિદ્યાલય શતાબ્દી સમારોહનુ ઉદ્ઘાટન વિડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવ્યુ. સાથે ડાટ ટિકિટ પણ જાહેર કરવામાં આવી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અલીગઢ ખાતે આવેલ વિશ્વ વિદ્યાલય શતાબ્દી સમારોહનુ ઉદ્ઘાટન વિડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવ્યુ. સાથે ડાટ ટિકિટ પણ જાહેર કરવામાં આવી. પ્રધાનમંત્રીએ આ સમારોહના આયોજકોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યુ હતુ, કે એએમયુ એક એવી શૈક્ષણિક સંસ્થા છે,કે શિક્ષણ દ્વારા દેશના વિકાસમાં ખૂબજ મહત્વનુ યોગદાન પ્રદાન કરી પ્રેરણા જગાવે છે. આ ઇન્સ્ટીટ્યુટમાં ઉચ્ચસ્તરીય અભ્યાસ કરી વિદેશોમાં રહેતા લોકો સાથે પણ સંવાદ થયો છે. અને તેનાથી પ્રભાવિત પણ થયો છું. એએમયુએ દેશના શિક્ષણક્ષેત્રે આધુનિક વિચારો આપ્યા છે અને કંઇક નવું કરવાની પ્રેરણા આપી છે. આ સાથે કોરોના સમયમાં એએમયુએ સમાજસેવા કરી અભૂતપૂર્વ કાર્ય કર્યુ છે. સાથે તેમણે એ પણ કહ્યુ હતુ, કે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાઓને મજબૂત કરવા અપીલ કરી હતી.
