PM નરેન્દ્ર મોદીએ મન કી બાત ટ્વિટર હેન્ડલમાં સુરતની 'પેડ દાદી'ને પ્રેરણા ગણાવી
Live TV
-
સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છોડી દેવાનું કહી પીએમ મોદી એ ફરી એક વખત તમામ ને ચોંકાવી દીધા હતા.જોકે 24 જ કલાકમાં તેમને આવું કેમ કર્યું તેનો ખુલાસો પણ કર્યો હતો.તેમનો ઉદ્દેશ્ય મહિલા દિવસ પર લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવાનો હતો.પીએમ મોદી દ્વારા સોશ્યલ મીડિયામાં #SheInspiresUs થકી મહિલાઓ ના કાર્યોને દેશ દુનિયા માં બતાવી લોકોને પ્રેરિત કરવાનો હતો અને તેઓએ પોતે આ કાર્યની શરૂવાત સુરતની 'પેડ દાદી' મીના મહેતાથી શરૂ કર્યો છે.. મન કી બાત ટ્વિટર હેન્ડલમાં સુરતની 'પેડ દાદી'ને પ્રેરણા ગણાવી છે. કે દાદી એ સાત વર્ષમાં અવિરત રીતે 4 લાખ કિશોરીઓ ને ફ્રી સેનિટરી પેડ આપ્યા છે.
