PM નરેન્દ્ર મોદી આજથી બે દિવસ આજે ભૂતાનના પ્રવાસે
Live TV
-
અંતરીક્ષ સંબંધોમાં નવી ઉંચાઇ મળવાની સંભાવના,ભૂતાનના નરેશ સાથે મુલાકાત કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભૂતાનના પ્રવાસે જઇ રહ્યા છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પ્રધાનમંત્રીના બે દિવસના પ્રવાસ દરમિયાન શિક્ષણ જેવા ક્ષેત્રો સાથે ઘણા ક્ષેત્રોમાં સહયોગ આગળ વધારવા સમજૂતી થઇ શકે છે. અહીં વિજળી ઉપરાંત અંતરીક્ષ સંબંધોમાં નવી ઉંચાઇ મળવાની સંભાવના છે. પ્રવાસે જતા પહેલા નિવેદનમાં પ્રધાનમંત્રી મોદીએ બન્ને દેશો વચ્ચે સાર્થક વાતચીતની આશા વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રી એ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે આ પ્રવાસ જૂની મિત્રતાને વધુ સુદ્રઢ કરશે. મે 2019માં પ્રધાનમંત્રી પદ ફરી સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદી તેમની ત્રીજી વિદેશ યાત્રામાં ભૂતાન જઇ રહ્યાં છે. તેઓ ત્યાં ભૂતાનના નરેશ સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત અહીં પ્રતિનિધિસ્તરની બેઠક યોજવાનું આયોજન કરાયું છે. ભારતે અગાઉ ભૂતાનની અનેક યોજનામાં સહયોગ આપ્યો છે. પડોશી પહેલાની નીતિ અનુસાર ભારતે વન-વિજળી યોજના કે જે ઉર્જાની જરૂરિયાત માટે મહત્વની છે. પ્રધાનમંત્રી આ યોજનાનું ઉદ્દઘાટન પણ કરશે. અહીં 10 MOU થવાની સંભાવના છે.
