PM મોદીએ આતંરાષ્ટ્રીય ડીઝાસ્ટર મેનેજમેન્ટ સંમેલનના ઉદ્ધાટન સત્રને સંબોધિત કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરસિંગ દ્વારા આતંરાષ્ટ્રીય ડીઝાસ્ટર મેનેજમેન્ટના બુનિયાદી માળખા અંગેના સંમેલનના ઉદ્ધાટન સત્રમાં સંબોધન કર્યું હતું. આ સંમેલનમાં ફીઝી, ઇટલી તેમજ યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી પણ જોડાયા હતા. સંમેલનમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે જો જળવાયું પરિવર્તનના પ્રભાવને ઓછો કરવા સતત અને સઘન પ્રયત્નો કરવામાં આવે તો તેની અસર ઓછી કરી શકાય છે તેમણે કટોકટી અને માળખાગત સુવિધા અંગે જણાવ્યું હતું કે કોવિડ-19ની મહામારીએ ઉભા કરેલા પડકારોને જોતા ઇન્ફાસ્ટ્રકચરના ડેવલપમેન્ટ પર ભાર મૂકવો જરૂરી છે આ મહામારીએ આપણને અનુભવ કરાવ્યો કે વિશ્વ કોઈ પણ ખૂણે રહેતો વ્યક્તિ હોય તે અમીર હોય કે ગરીબ વૈશ્વિક કટોકરીના પ્રભાવથી દૂર નથી રહી શક્યો માટે જ માળખાને લચીલું બનાવવા પરસ્પર સહયોગ જરૂરી છે.