PM મોદીએ તમિલનાડુના થેનીમાં ગજવી ચૂંટણી સભા, ડીએમકે પર કર્યાં પ્રહાર
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના થેનીમાં ચૂંટણી સભાને સંબોધી હતી. તેમણે ડીએમકે પર કટાક્ષ કરતાં જણાવ્યું કે, થોડા દિવસ પહેલા પાર્ટીએ એક નામદારને પ્રધાનમંત્રી બનાવવાની વાત કહી હતી પરંતુ કોઈએ તેનો સ્વીકાર ન કર્યો.
પ્રધાનમંત્રીએ યૂપીના મિલાવટી ગઠબંધન પર પણ આકરા પ્રહાર કર્યાં હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમિલનાડુ બાદ કર્ણાટકમાં ચૂંટણી સભાને સંબોધશે. કર્ણાટકના મંગલૂરૂમાં જનસભા સંબોધશે. પીએમ મોદી અંતિમ જનસભા સાંજે કર્ણાટકના બેંગાલૂરૂમાં સંબોધશે. તો ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ આજે ઉત્તર પ્રદેશના બદાયું અને શાહજહાંપુરમાં ચૂંટણી સભાને સંબોધન કરશે.
