PM મોદીએ સિલિગુડીમાં મમતા બેનર્જી પર કર્યાં આકરા પ્રહાર
Live TV
-
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિલિગુડીમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. તેમણે પોતાના સંબોધનમાં પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ સહિત ડાબેરીઓ અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.
પ્રધાનમંત્રીએ આયુષ્યમાન ભારત યોજનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ગરીબ જ્યારે બીમાર પડે છે, ત્યારે સૌથી મોટી સમસ્યા સારવારની ઉભી થાય છે. અમારી સરકારે ગરીબોની સારવાર માટે આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત પ્રતિ વર્ષ 5 લાખ રૂપિયાની મદદની ઘોષણા કરી છે, પરંતુ મમતા દીદીએ તેના પર પણ બ્રેક લગાવી દીધી છે.
તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, અમારી સરકારે સમગ્ર દેશમાં ઝડપથી વિકાસના કાર્યો કર્યાં છે, પણ પશ્ચિમ બંગાળમાં હું એટલી ઝડપથી કાર્ય કરી શક્યો નથી, કારણ કે બંગાળમાં એક સ્પીડ બ્રેકર છે, જેમને લોકો દીદીના નામે ઓળખે છે.
