PM મોદીએ સોલાપુરમાં વિકાસ પરિયોજના-આવાસ યોજનાની મૂકી આધારશિલા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના સોલાપુરમાં સડક પરિવહન અને સંપર્કને પ્રોત્સાહન આપતા , સોલાપુર-તુલજાપુર-ઉસ્માનાબાદ ફોર લેન એન.એચ.-211 રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. ફોર લેન ઉસ્માનાબાદ રાજ માર્ગથી, સોલાપુરનો મહારાષ્ટ્રના મરાઠાવાડ સાથે સંપર્ક સુધરી જશે.
રાજ માર્ગોના નિર્માણનો ફાયદો વેપારીઓ અને શ્રધ્ધાળુઓને પણ મળશે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત , 30 હજાર મકાન નિર્માણ યોજનાનો શિલાન્યાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો હતો. પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારતના પોતાના મિશનને આગળ વધારતા સોલાપુરમાં ભૂમિગત સીવરેજ પ્રણાલી રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ફડણવીસ સરકાર દરેક ઘરમાં વિજળી આપવા ગંભીરતાથી વ્યવસ્થા કરી રહી છે.
