PM મોદીની આસામ-બિહારમાં જનસભા, ભાજપ સરકાર બનવાનો વિશ્વાસ કર્યો વ્યક્ત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના સિલ્ચર તેમજ બિહારના ભાગલપુરમાં સંબોધી ચૂંટણી સભા-પ્રધાનમંત્રીએ 23 મે બાદ ફરી ભાજપ સરકાર બનવાનો વ્યક્ત વિશ્વાસ કર્યો -જણાવ્યું કે દરેક ખેડૂતને પહોંચાડીશું મદદ- ટુંક સમયમાં કેન્દુકોનમાં પણ સંબોધશે સભા
આસમના મંગલદોઈમાં ,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક જનસભાને સંબોધી હતી. ,જેમાં કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા ,પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ 1971ના યુદ્ધ બાદ કોંગ્રેસે ઈચ્છયું હોય તો ,આસામથી કાશ્મીર સુધીની સમસ્યાનું સમાધાન કરી શકી હોત, પણ કાશ્મીર પણ સળગતું રહ્યું અને આસામની સ્થિતિ પણ ગંભીર થતી રહી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ભાગલપુરમાં એક જનસભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભાજપ 23મી મે બાદ ફરી એકવાર સરકાર બનાવશે. બીજા તબક્કાના મતદાન માટે બિહારનાં ભાગલપુરમાં પ્રધાનમંત્રીએ એક જનમેદનીને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર સરકારે ખેડૂતો માટે અનેક પગલાં લીધા છે જેનો સીધો લાભ ખેડૂતોને મળ્યો છે. તો નીતીશકુમારે કહ્યું કે, સમાજના પ્રત્યેક વર્ગના લોકોના માટે કેન્દ્ર સરકારે વિવિધ યોજનાઓનો અમલ કર્યો છે.
