PM મોદીને 'ઝાયદ મેડલ' થી સન્માનીત કરાશે
Live TV
-
આ સન્માન રાજાઓ, રાષ્ટ્રપતિઓ અને રાષ્ટ્રધ્યક્ષોને આપવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ પુરસ્કાર ભારત અને સંયુક્ત અરબ અમીરાત વચ્ચેના સંબંધને વધુ ગાઢ બનાવવા માટે આપવામાં આવી રહ્યો છે.
સંયુક્ત અરબ અમીરાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રતિષ્ઠિત 'ઝાયદ મેડલ'થી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. આ સન્માન રાજાઓ, રાષ્ટ્રપતિઓ અને રાષ્ટ્રધ્યક્ષોને આપવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ પુરસ્કાર ભારત અને સંયુક્ત અરબ અમીરાત વચ્ચેના સંબંધને વધુ ગાઢ બનાવવા માટે આપવામાં આવી રહ્યો છે. નોંધનિય છે કે પીએમ મોદીના નેતૃત્વમાં સંયુક્ત અરબ અમીરાત સાથેના સંબંધ બધુ મજબૂત બન્યા છે અને બંને દેશોના રાજકીય સંબંધોને ગાઢ બનાવવામાં પ્રધાનમંત્રી મોદીનું યોગદાન પ્રસંશનિય રહ્યું છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પીએમ મોદીને મળી રહેલા આ સન્માનનું સ્વાગત કરતા ટવિટ કર્યું છે કે ઇસ્લામિક દેશો સાથે રણનિતિક સહયોગ અને સકારાત્મક સંબંધને સ્થાપવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ ભમિકા ભજવી છે.
