PM મોદી આજે આસામની તેજપુર વિશ્વ વિદ્યાલયના દિક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 10-45 કલાકે આસામના તેજપુરમાં આવેલ વિશ્વ વિદ્યાલયના 18માં દિક્ષાંત સમારોહમાં વિડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરશે. આ સમારોહમાં આસામના રાજ્યપાલ જગદીસ મૂખી, કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ, આસામના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 10-45 કલાકે આસામના તેજપુરમાં આવેલ વિશ્વ વિદ્યાલયના 18માં દિક્ષાંત સમારોહમાં વિડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરશે. આ સમારોહમાં આસામના રાજ્યપાલ જગદીસ મૂખી, કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ, આસામના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે. સમારોહમાં 1 હજાર 218 વિદ્યાર્થીઓને ડીગ્રી અને ડીપ્લોમાં એનાયત કરવામાં આવશે. તો 48 વિદ્યાર્થીઓને સ્વર્ણપદક દ્વારા સન્માનિત કરવામાં આવશે. કોવિડ-19ની ગાઇડલાઇન પ્રમાણે આ સમારોહ યોજવામાં આવશે.
