PM મોદી સહિતના રાજકીય નેતાઓએ માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Live TV
-
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન. તેઓ કોંગ્રેસના પીઢ નેતા તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચુક્યા હતા.
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન. તેઓ કોંગ્રેસના પીઢ નેતા તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચુક્યા હતા. તેઓનો જન્ય 30 જુલાઈ 1927ના રોજ તેઓનો જન્મ થયો હતો. તેઓ ગુજરાત કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના પિતા છે.
"માધવસિંહ સોલંકીજી એક પ્રચંડ નેતા હતા, જેમણે દાયકાઓ સુધી ગુજરાતની રાજનીતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી, સમાજ પ્રત્યે તેમની સમૃદ્ધ સેવા કરવા માટે તેમને યાદ કરવામાં આવશે, તેમના નિધનથી દુઃખ થયુ, તેમના પુત્ર ભરત સોલંકીજી સાથે વાત કરી અને સંવેદના વ્યક્ત કરી" - PM નરેન્દ્ર મોદી
માધવસિંહ સોલંકી કોંગ્રેસ પક્ષના નેતા અને ભારતના ભુતપૂર્વ વિદેશ મંત્રી છે. તેઓએ ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રીપદ સંભાળેલું. તેઓ ૧૯૮૦માં ગુજરાતમાં સત્તામાં આવેલા. ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતી મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ માધવસિંહના નામે છે. માધવસિંહ સોલંકી ગુજરાતના 7મા મુખ્યમંત્રી હતા. તેઓએ 182 બેઠકોમાંથી 149 બેઠકો જીતી હતી.
