RBIના ગવર્નર શક્તિકાંત દાસે પત્રકાર પરિષદને સંબોધી
Live TV
-
ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, સમગ્ર દેશ કોરોના મહામારીના સમય વચ્ચેથી પસાર થઇ રહ્યો છે. આવા સમયે RBI દ્વારા કોરોનાની બીજી લહેરને પગલે ભારતીય અર્થતંત્ર પર જે અસર પડી રહી છે. સમગ્ર પરિસ્થિતિનું અવલોકન કરવામાં આવી રહ્યું છે. તો સામાન્ય નાગરિકો તથા વ્યાપાર માટે ચોક્કસ ઉપાયો હાથ ધરવામાં આવી રહ્યા છે. કપરી પરિસ્થિતિમાં આરોગ્ય કર્મચારી તથા પોલીસ ફોર્સની કર્મનિષ્ઠાને બીરદાવી રહ્યા છીએ. 2022ના બીજા છ માસિક તબક્કા સુધીમાં તમામ લોકો માટે કોરોનાની રસી ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એપ્રિલમાં રેલ નૂરની વૃદ્ધિ દર વર્ષની સરખામણી 76 ટકાનો વધારો થયો છે.
