VandeBharatMission : બહેરીનથી 177 ભારતીયોને લઈને વિશેષ વિમાન કોચ્ચિ એરપોર્ટ પહોંચ્યુ
Live TV
-
નેવીના જહાજ આઈએનએસ જલાશ્વ માલદિવથી 698 લોકોને લઈ શુક્રવારે રવાના થયું છે. તે 10મેના રોજ કોચિન પહોંચે તેવી શક્યતા
વંદે ભારત મિશનના બીજા દિવસે એટલે કે 8 મેના રોજ પહેલી ફ્લાઈટ બપોરે 12 વાગે દિલ્હી પહોંચી. આ ફ્લાઈટમાં સિંગાપોરથી 234 લોકો આવ્યા. બીજી ફ્લાઈટ ઢાકાથી 167 મેડિકલ સ્ટૂડન્ટને લઈ શ્રીનગર આવ્યા. ત્રીજી ફ્લાઈટ રિયાધથી કોઝીકોડ પહોંચી. તેમા આવેલા લોકોની સંખ્યા અંગે જાણકારી મળી નથી. બહેરીનથી કોચિન અને દુબઈથી ચેન્નાઈ આવેલી ફ્લાઈટમાં 182-182 લોકો આવ્યા હતા.
પહેલો તબક્કો 14 મે સુધી 12 દેશમાંથી 14,800 ભારતીયોને લાવવાની યોજના છે. મિશનનો બીજો તબક્કો 15 મેથી શરૂ થશે. આ તબક્કામાં સેન્ટ્રલ એશિયા અને યુરોપના દેશો જેવા કે- કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, રશિયા, જર્મની, સ્પેન અને થાઈલેન્ડથી ભારતીયોને લાવવામાં આવશે.
વિદેશોમાં ફસાયેલા ભારતીયો માટે સરકારે ઓપરેશન સમુદ્ર સેતુ શરૂ કર્યું છે. તેના પ્રથમ તબક્કામાં નેવીના જહાજ આઈએનએસ જલાશ્વ માલદિવથી 698 લોકોને લઈ શુક્રવારે રવાના થયું છે. તે 10મેના રોજ કોચિન પહોંચે તેવી શક્યતા છે.
