અંબાજીમાં ભાદરવી પૂનમને અનુલક્ષીને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ખાધા ખોરાકી વેચાણ માટે સ્થાનિક સ્થળે જ લાયસન્સ આપવાની પ્રક્રિયા હાથ ધરી
Live TV
-
યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજનાર છે ..જેને લઈ અંબાજીમાં ખાણીપીણીના અનેક સ્ટોલો લગાવવામાં આવતા હોય છે. આવી પરિસ્થિતિ દરમિયાન કોઈપણ જાતની ગેર વ્યવસ્થા ન સર્જાય અને યાત્રિકોને શુદ્ધ શાકાહારી ખાદ્ય સામગ્રી મળી રહે તે માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ખાધા ખોરાકી વેચાણ માટે લાયસન્સ આપવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
જે વેપારીઓને લાયસન્સ માટે અંબાજીથી પાલનપુર 60 કિલોમીટર દૂર જવું પડતું હતું તેના બદલે અંબાજી ખાતે સ્થાનિક એક દિવસ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં સ્થળ ઉપર જ 35 ઉપરાંત લાયસન્સ બનાવી આપવામા આવ્યા હતા. મેળા દરમ્યાન ખાદ્ય સામગ્રી વેચનાર પાસે લાયસન્સ નહી હોય તો તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
