અમદાવાદ સ્થિત અંધ જન મંડળમાં 250 જેટલા દિવ્યાંગોને આપવામાં આવી વિભિન્ન સહાય
Live TV
-
અમદાવાદમાં વસ્ત્રાપુરમાં આવેલ અંધ જન મંડળ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતું છે ત્યારે સ્વાભિમાન ગ્રુપ દ્વારા 250 જેટલા દિવ્યાંગોને જુદી જુદી સહાય આપવામાં આવી હતી.
આ સહાયમાં ખાસ કરીને 84 દિવ્યાંગ વ્યક્તિઓને સહાયક ઉપકરણો આપવામાં આવ્યા હતા. 87 દિવ્યાંગ વ્યક્તિઓને સ્વરોજગાર કિટ આપવામાં આવી હતી અને 60 દિવ્યાંગ વ્યક્તિઓને દવાઓ માટે વિસ્તૃત સહાય અને અન્ય 23 દિવ્યાંગ યુવાનોને શિષ્યવૃત્તિ અને મુસાફરી માટે સહાય કરવામાં આવી હતી. અન્ય દિવ્યાંગોને 82 ટ્રાયસીકલ અને 40 હીયરિંગ મશીન પણ આપવામાં આવ્યા હતા.
