અમદાવાદઃ સી. આર. પાટીલની અધ્યક્ષમાં આંત્રપ્રીન્યોર એવોર્ડ 2021 માટેનો સન્માન સમારોહ યોજાયો
Live TV
-
અમદાવાદ શહેર ખાતે પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષમાં આંત્રપ્રીન્યોર એવોર્ડ 2021 માટેનો સન્માન સમારોહ યોજાઈ ગયો. કોરોનાના કઠીન સમયમાં પણ પોતાની સમજણ આત્મવિશ્વાસથી ઘણા નાના અને મધ્યમ લઘુઉદ્યોગોએ બિઝનેસ કર્યો છે અને બીજા ઉદ્યોગકારો માટે પ્રેરણારૂપ બન્યા છે. આવા ગુજરાતના 35 જેટલાં લઘુઉદ્યોગકારોને શિલ્ડ અને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. ઉદ્યોગકારો સમાજ અને રાજ્યના વિકાસ માટે પોતાનું યોગદાન આપે છે ત્યારે આવા સફળ ઉદ્યોગકારોને સન્માન આપવું જોઈએ એ આપણી નૈતિક ફરજ જેનાથી આવનારા સમયમાં નવા ઉદ્યોગકારોને પણ પ્રેરણા મળે છે. આવા ઉદ્યોગકારો સફળ તથા તેઓ સમાજના નવળાવર્ગ માટે પોતાની સામાજિક જવાબદારી સ્વચ્છાએ અદા કરતાં હોય છે ત્યારે રાજ્ય સરકાર પણ અનેકવિધ યોજનાઓ દ્વારા આ MSME સેક્ટરના વિકાસ માટે કટિબદ્ધ બન્યું છે. તેમ પાટીલે જણાવ્યું હતું.
