અમદાવાદને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું અભિયાન
Live TV
-
અમદાવાદમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવાના હેતુસર ખાસ અભિયાન ચલાવવામાં આવશે. કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત અભિયાન-2.0 અંતર્ગત નહેરૂ યુવા કેન્દ્ર અમદાવાદ જિલ્લાના તમામ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાનમાં નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન સાથે જોડાયેલા યુવાઓ લોકોના ઘરે ઘરે જઈ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા માટેની જાગૃતિ ફેલાવશે. આ સાથે સ્વયંસેવકો ગામે ગામે કચરો એકત્રિત કરી તેનો નાશ કરશે. પ્લાસ્ટિકનો વપરાશ બંધ થાય તેવા ઉમદા હેતુથી આ અભિયાન હાથ ધરાશે જેની માહિતી નહેરૂ યુવા કેન્દ્ર સંગઠને પ્રેસ કોન્ફરન્સ યોજી આપી હતી.
