અમદાવાદમાં ઈદ-એ-મિલાદની કોરોના ગાઈડલાઈન સાથે ઉજવણી
Live TV
-
અમદાવાદમાં મુસ્લિમ બિરાદરોએ આજે હર્ષોલ્લાસ સાથે ઈદ-એ-મિલાદ પર્વની ઉજવણી કરી. કોરોના ગાઈડલાઈનના પાલન સાથે જુલુસ કાઢવામાં આવ્યુ હતું. મહમ્મદ પેયગમ્બરના જન્મદિવસનો પર્વ હોવાને લઈ ઈદ-એ-મિલાદ પર્વ મનાવવામાં આવે છે. જમાલપુર દરવાજા ખાતે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ લીલો ઝંડો ફરકાવીને જુલુસને પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતું. ઈદ કમિટીના સભ્યોની ઉપસ્થિતિમાં જુલુસ નીકળ્યુ હતું. ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ જુલુસમાં જોડાયા હતા. એક વાહન અને 400 લોકોની મર્યાદામાં જુલુસ યોજવામાં આવ્યુ હતું. જુલુસ નીકળ્યા બાદ ઈદ કમિટીએ રાજ્યસરકાર અને પોલીસનો આભાર માન્યો હતો. શાંતિપૂર્ણ માહોલમાં પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે ઈદ-એ-મિલાદ પર્વ મનાવવામાં આવ્યો હતો.
