અમદાવાદ: કોરોનાના કપરા કાળમાં સામાજિક સંસ્થાઓ જરૂરિયાતમંદ લોકોની મદદે
Live TV
-
કોરોનાના કપરા કાળ દરમિયાન ઘણી સામાજિક સંસ્થાઓ લોકોની મદદ કરવા માટે કાર્ય કરી રહી છે. ત્યારે અમદાવાદમાં બોપલ ખાતે શ્રી સાઈ વુમન ઍન્ડ ચિલ્ડ્રન વેલફેર દ્વારા કોરોના કાળમાં વિવિધ સેવાકીય કાર્ય કરવામાં આવ્યા..જેમાં લગભગ 1500 PPE કીટ, 10 હજાર જેટલા માસ્ક, ઑક્સિજન સિલિન્ડર અને સાથે જમવાની સેવા પૂરી પાડી રહ્યા છે. અત્યાર સુધી 3200 લોકોને ફ્રી જમવાની સેવા પૂરી પાડી છે.આ સંસ્થા દ્વારા છેલ્લા એક મહિનાથી રોજ જમવામાં અલગ અલગ વાનગી જેમ કે રાજમાં ચાવલ,કઢી ખીચડી, પૂરી શાક જેવી વાનગી પીરસવામાં આવે છે.સંસ્થાના સભ્યોનું કહેવું છે કે જ્યાં સુધી આંશિક લોકડાઉન ચાલુ રહેશે ત્યાં સુધી સેવા ચાલુ રાખવામાં આવશે.
