અમદાવાદ મંડળના સાબરમતી-ખોડિયાર સ્ટેશનોની વચ્ચે ત્રણ રેલવે ક્રોસિંગ રહેશે બંધ
Live TV
-
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર સાબરમતી-મહેસાણા વિભાગના સાબરમતી અને ખોડિયાર સ્ટેશનની વચ્ચેના ઓવરહોલિંગના કામને કારણે રેલવે ક્રોસિંગ નંબર 241, રેલવે ક્રોસિંગ નંબર 240 અને રેલવે ક્રોસિંગ નંબર 239 બંધ રહેશે.
તારીખ 25 મી અને 26 મી સપ્ટેમ્બર, 2021 ના રોજ રેલવે ક્રોસિંગ નંબર 241, ઉમા ભવાની ફાટક 774/23-25 બંધ રહેશે. માર્ગ વપરાશકર્તાઓ આ સમયગાળા દરમિયાન રેલવે ક્રોસિંગ 242 દ્વારા અવર જવર કરી શકે છે. તારીખ 27 મી અને 28 મી સપ્ટેમ્બર, 2021 ના રોજ રેલવે ક્રોસિંગ નંબર 240, ત્રાગઢ ફાટક 773/3-5 બંધ રહેશે. માર્ગ વપરાશકર્તાઓ આ સમયગાળા દરમિયાન રેલવે ક્રોસિંગ 241 દ્વારા અવર જવર કરી શકે છે. જયારે તારીખ 29 મી અને 30 મી સપ્ટેમ્બર, 2021 ના રોજ રેલવે ક્રોસિંગ નંબર 239, ખોરાજગામ ફાટક 771/7-9 બંધ રહેશે. માર્ગ વપરાશકર્તાઓ આ સમયગાળા દરમિયાન એસજી હાઇવે અને ખોરાજ નાલા દ્વારા અવર જવર કરી શકે છે.
