અમદાવાદ: રિવરફ્રન્ટ ખાતે ક્રુઝ બોટ સેવાની ફરી શરૂઆત
Live TV
-
છેલ્લા પાંચ મહિનાથી બંધ આ ક્રુઝ સેવા ફરી શરૂ થતા શહેરીજનોમાં આનંદ જોવા મળી રહ્યો છે.
ગુજરાતમા અનેઅમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણની સ્થિતિ હળવી થઈ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન સ્થળો, બાગ- બગીચાને જનતા માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. અમદાવાદના આકર્ષણ સમા રિવરફ્રન્ટ ખાતે ક્રુઝ બોટ સેવાની ફરી શરૂઆત કરવામાં આવી છે. કોવિડ-19ના નિયમોના પાલન સાથે આ ક્રુઝ સેવાની શરૂઆત કરવામાં આવી છે. ક્રુઝના દરેક રાઉન્ડ બાદ ક્રુઝને સેનિટાઇઝ કરવામાં આવશે. છેલ્લા પાંચ મહિનાથી આ ક્રુઝ સેવા બંધ હતી. આટલા સમય બાદ ફરી ક્રુઝ સેવા શરૂ થતા શહેરીજનોમાં આનંદ જોવા મળી રહ્યો છે.
