અમરેલી જિલ્લામાં કોંગ્રેસ અને પરિવર્તન ટ્રસ્ટ દ્વારા પ્રાણવાયુ સેવા કેન્દ્રનો પ્રારંભ
Live TV
-
અમરેલીમાં જીલ્લા કોંગ્રેસ અને પરીવર્તન ટ્રસ્ટ દ્વારા પ્રાણ વાયુ સેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે ..ગુજરાત વિધાનસભાના વિપક્ષ ના નેતા પરેશભાઈ ધાનાણી કોરોનાની કપરી પરિસ્થિતિમાં સેવા યજ્ઞ શરૂ કરી ફરી મેદાને આવ્યા છે. પરેશ ધાનાણી એ ઓક્સીજન સિલિન્ડર આપીને આજથી સેવા યજ્ઞનો પ્રારંભ કર્યો છે...અમરેલી જિલ્લાના જરૂરિયાત મંદ લોકોને , વિનામૂલ્યે આ ઓક્સિજન આપવામાં આવશે...ઓક્સિજન સિલિન્ડર સાથે એક સંકલ્પ પત્ર પણ આપવામાં આવશે...જેમાં ઓક્સિજન સિલિન્ડરના લાભાર્થીઓને વૃક્ષના રોપ ઉછેરે તેવી અપીલ કરવામાં આવી છે...આ ઓક્સિજન સિલિન્ડર માટે જરૂરિયાત મંદ લોકો કોંગ્રેસના આગેવાનોનો સંપર્ક કરી શકશે..
