અરવલ્લીઃ ફાસ્ટટેગથી સમય-ઈંધણની બચત, લોકોએ નિર્ણયને આવકાર્યો
Live TV
-
રાજ્યના ટોલ બુથ પર શરૂ કરાયેલી ફાસ્ટટેગની સુવિધાને અરવલ્લી જિલ્લાના લોકો આવકારી રહ્યા છે. કેન્દ્રની મોદી સરકારે હાઈવે ટોલ સાથે સંકળાયેલા અનેક નિયમો બદલવાનો નિર્ણય કર્યો હતો જેમા ટોલ બુથ પર ફાસ્ટ ટેગની સુવિધા પણ સામેલ હતી.
ફાસ્ટટેગની સુવિધા પહેલા 1 ડિસેમ્બરથી અમલી થવાની હતી, પરંતુ લોકો સુધી આ અંગે જાણકારી પહોંચી શકે તે હેતુથી સમય મર્યાદા વધારવામાં આવી હતી. હવે લોકો ફાસ્ટ ટેગનો ઉપયોગ કરતા થયા છે ફાસ્ટ ટેગને કારણે વાહનચાલકોને સમય અને ઈંધણની બચત થાય છે અને કેશ આપવાની સમસ્યામાંથી પણ રાહત મળી છે
