અરવલ્લીમાં શામળાજીના મેશ્વો જળાશયમાંથી ખેડૂતો માટે સિંચાઇનું પાણી છોડવામાં આવ્યું
Live TV
-
અરવલ્લીમાં શામળાજીના મેશ્વો જળાશયમાંથી ખેડૂતો માટે સિંચાઇનું પાણી છોડવામાં આવ્યું છે. નવા વર્ષની શરૂઆતમાં સિંચાઇનું પાણી છોડાતા ખેડૂતો માટે રવિ સિઝનના પાકને ફાયદો થશે. સિંચાઈ વિભાગ દ્વારા છોડવામાં આવેલ પ્રથમ પાણીથી 35 થી 40 ગામના ખેડૂતોના પંદરસોથી બે હજાર હેક્ટર જમીનને ફાયદો થશે. ખેડૂતોને આ સિંચાઇના પાણી દ્વારા વધુ સારો પાક મેળવવામાં તેમજ ગુણવત્તાયુક્ત પાક મેળવવામાં ફાયદો થશે.
