આજથી ચૈત્રી નવરાત્રીની શરૂઆત, મંદિરોમાં વહેલી સવારે માતાજીની કરાઇ આરતી
Live TV
-
આજથી ચૈત્રી નવરાત્રી શરૂ થઈ રહી છે. આ નવરાત્રીમાં માઈ ભક્તો માતાજીની ભક્તિ કરે છે. તેમજ માતાજીની આરાધના કરે છેઅને આ નવરાત્રીમાં ઉપવાસ, એકટાણા કે નકોરણા ઉપવાસ કરીને પણ લોકો આ નવરાત્રી રહે છે.
આજથી ચૈત્રી નવરાત્રી શરૂ થઈ રહી છે. આ નવરાત્રીમાં માઈ ભક્તો માતાજીની ભક્તિ કરે છે. તેમજ માતાજીની આરાધના કરે છેઅને આ નવરાત્રીમાં ઉપવાસ, એકટાણા કે નકોરણા ઉપવાસ કરીને પણ લોકો આ નવરાત્રી રહે છે. માઈ ભક્તો આ દિવસોમાં મંદિરે આવતા હોયછે. ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રીનું અનેરૂ મહત્વ છે. મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો અહીંયા આવે છે. અને માની ભક્તિ કરે છે સાથે છે.ત્યારે આ વખતે કોરોના વાયરસના કારણે સૌ પ્રથમ વખત આ નવરાત્રીના સમયગાળામાં ભક્તો માટે મંદિરની અંદર આવી શકશે નહીં. અને મંદીરમાં ફક્ત પૂજારી આરતી, પૂજા, કરશે. અને ભક્તો પોતાના ઘરની અંદર પૂજા પાઠ કરે તેવી અપીલ પણ મંદિરના પૂજારી તરફથી કરવામાં આવી છે. ધ્રાંગધ્રામાં આવેલ મહાલક્ષ્મીના મંદિરમાં આ નવરાત્રી દરમિયાન વહેલી સવારે તેમજ સાંજે સૂર્યાસ્ત સમયે આરતી થાય છે. મંદિર તરફથી આ નવરાત્રી માં આઠમના દિવસે હવન પણ થાય છે.તેમજ નવરાત્રી તેમજ પૂનમના રોજ અહીયા સીનિયર સીટીઝનો દ્વારા બેસીને જુના,પૌરાણિક ગરબા ગાવામાં આવે છે જે આ વખતે બધું બંધ કરવામાં આવ્યું છે.
