આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ; જાણો તેમના જીવન વિશે
Live TV
-
દેશભરમાં આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને લોકો તેમની જન્મ જયંતી નિમિત્તે યાદ કરી રહ્યા છે. આજે ભલે તે આપણી વચ્ચે નથી પરંતુ તે પોતાની દેશસેવા, જન સેવા અને પોતાની રચનાઓના માધ્યમથી દરેક ભારતવાસીના દિલમાં જીવીત છે. ભારતીય રાજનીતિમાં સુશાસનનો વારસો છોડનારા અટલ બિહારી વાજપેયી 1996, 1998 અને ફરી 1999 થી 2004 સુધી ભારતના પ્રધાનમંત્રી રહ્યા હતા.
ભારતીય જનતા પાર્ટી અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતીને સુશાસન દિવસ તરીકે ઉજવે છે. અટલ બિહારી વાજપેયીનો જન્મ એક મધ્યમવર્ગીય પરિવારમાં 25 ડિસેમ્બર 1924 ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાના બટેશ્વર ગામે થયો હતો. તેઓ ભારતીય જનસંઘના સંસ્થાપકોમાંથી એક હતા અને 1968 થી 1973 સુધી તેના અધ્યક્ષ પણ રહ્યા હતા. અટલ બિહારી વાજપેયીએ પ્રધાનમંત્રી પદે રહેતા રાજસ્થાનના પોખરણમાં વર્ષ 1998 માં 11 મે અને 13 મે ના રોજ પરમાણુ પરીક્ષણ કરી આપણા દેશને પરમાણુશક્તિ સંપન્ન દેશ બનાવ્યો. તેમના યોગદાન અને અસાધારણ કાર્યો માટે 2015 માં તેમને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
