આણંદની કૃષિ યુનિવર્સિટી દ્વારા શાકભાજીમાં નવી ચાર જાતો વિકસાવવામાં આવી
Live TV
-
આણંદ કૃષિ યુનિવર્સિટી ખેડૂતોને લાભ થાય અને તેમની આવકમાં વધારો થાય તેવા હેતુથી અવાર નવાર સંશોધન કરી રહી છે. હાલ યુનિવર્સિટીના મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર દ્વારા ખેડૂતો માટે શાકભાજીની નવી ચાર જાતો વિકસાવવામા આવી છે. કૃષિ યુનિવર્સિટી ગુજરાતમાં શાકભાજીના સંશોધનો અંગે કામ કરી રહી છે.
હાલ કૃષિ યુનિ.ના સંશોધન કેન્દ્ર દ્વારા રીંગણની નવી જાત આણંદ રાજ, મરચાની નવી જાત આણંદ તેજ, ભીંડાની નવી જાત આણંદ કોમલ, તેમજ ટામેટાની નવી જાત આણંદ રોમાં, તરીકે વિકસાવવામાં આવી છે.અને ટૂંક સમયમાં કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતો માટે વિકસાવેલી શાકભાજી આ ચાર જાતોના વાવેતર માટે ભલામણ કરવામાં આવશે.
