આજે સોમવતી અમાસ, ગીર સોમનાથના પ્રાચી તીર્થ પર શ્રદ્ધાળુઓની ભીડ
Live TV
-
ગીર સોમનાથ જિલ્લાનાં સૂત્રાપાડા તાલુકામાં આવેલું પ્રાંચી ગામ અનેરુ સ્થાન ધરાવે છે. પ્રભાસ ક્ષેત્રમાં સરસ્વતી નદી તટે આવેલાં આ પ્રાંચી તીર્થે સોમવતી અમાસનાં દિવસે સરસ્વતી નદીના કુંડમાં સ્નાન કરી અહીં બિરાજમાન માધવરાયજી ભગવાનનાં દર્શન કરવા અને મોક્ષ પીપળે પાણી રેડવાનું અનોખું મહત્વ હોય છે. આ દિવસે હજારોની સંખ્યામા શ્રધ્ધાળુઓ અહી દર્શન તથા પિતૃતર્પણ કરવા માટે આવે છે. ગુજરાત ભરમાંથી પધારેલા શ્રદ્ધાળુઓ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી પ્રાંચી સ્થળે આવે છે.
