કેવડિયા કોલોની ખાતે પોલીસ દ્વારા જન જાગૃતિ અભિયાન શરૂ
Live TV
-
નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે પોલીસ દ્વારા જન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ થયા પછી અહી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે ત્યારે પ્રવાસીઓથી લઈને સ્થાનિક ગ્રામજનો ,નગરજનો કોઈપણ પ્રકારના સાઇબર ક્રાઇમનો ભોગ ન બને તથા લોકોની સલામતી માટે પોલીસ વિભાગ દ્વારા આ અભિયાન શરૂ કરવામા આવ્યુ છે. કેવડિયા સ્થિત પોલીસ સ્ટાફ દ્વારા રાહદારીઓને પત્રિકાઓ આપી વિવિધ જન જાગૃતી અંગે લોકોને સમજણ આપી હતી.
